Wednesday, February 5, 2025
HomeGujaratમોરબી જલારામ મંદિર ખાતે અજય લોરિયા (સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન) ના...

મોરબી જલારામ મંદિર ખાતે અજય લોરિયા (સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન) ના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવે છે. ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે અજયભાઈ લોરીયા (સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન) પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૨૫૮ દર્દીઓએ લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી જલારામ પ્રાથના મંદિર મોરબી અને આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિના મૂલ્યે નેત્રમણી, નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની ચાર તારીખે યોજવામાં આવે છે. ત્યારે ગત. ૦૪/૦૨/૨૦૨૫ ના મંગળવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૫૮ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત ૧૦૭ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ.

ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધાની વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે પ્રવર્તમાન માસનો કેમ્પ અજયભાઈ લોરીયા (સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન) પરિવાર ના સહયોગથી યોજવામાં આવ્યો હતો. મોરબી જલારામ મંદિર ખાતે ગત ૪૦ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૧૧,૮૦૬ લોકોએ લાભ લીધેલ છે. તેમજ કુલ ૫૩૯૦ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યું છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૨૫૮ લોકોએ લાભ લીધો હતો. તેમજ ૧૦૭ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, રમણીકલાલ ચંડીભમર, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ,સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની,મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી તેમજ શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજવામાં આવે છે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી – મોબાઇલ નં. ૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫,અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!