Friday, February 7, 2025
HomeGujaratમોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ...

મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી

મોરબીમાં શક્તિ મેડિકલ ગ્રુપના નામે વર્ષોથી જાણીતા સ્વ.મહિપતસિંહ દાદુભા ઝાલા પરિવારના સિદ્ધરાજસિંહ ઝાલા અને દિવ્યાબા ની સુપુત્રી રાધિકાબાનો શુભલગ્ન પ્રસંગ હતો. આ લગ્ન પ્રસંગ નિમિત્તે સગા-વહાલાઓ અને અન્ય દ્વારા ચાંદલા સ્વરૂપે જે રકમ આપવામાં આવી હતી.તે રકમ રૂા.૨,૭૧,૦૦૦ જેવી રકમ એકત્રીત થઇ હતી.તે રકમની અંદર ઝાલા પરિવાર દ્વારા રૂા.૩૦,૧૧૧ નો ઉમેરો કરવામાં આવ્યો હતો અને કુલ મળીને રૂા.૩,૦૧,૧૧૧ જેવી માતબર રકમ મોરબી રાજપૂત સમાજ માટે મોરબીમાં નવા બની રહેલા રાજપુત સમાજ ભવનના નિર્માણ કાર્યમાં અર્પણ કરવામાં આવી હતી અને આ બાબતે સમાજને માટે નવો રાહ ચિંધ્યો હતો.

- Advertisement -
- Advertisement -

લગ્ન પ્રસંગમાં આવેલા સર્વે સગા-સ્નેહીઓ ધંધાદારી તથા અન્ય મિત્રોનો ઝાલા પરિવાર વતી ભાજપ અગ્રણી મેઘરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ ઝાલા અને અજયસિંહ ઝાલા સહિતનાઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!