Friday, April 26, 2024
HomeGujaratહળવદના દંતેશ્વર દરવાજા પાસે ભંગારના ડેલામા વિકરાળ આગ ભભૂકી ઉઠી

હળવદના દંતેશ્વર દરવાજા પાસે ભંગારના ડેલામા વિકરાળ આગ ભભૂકી ઉઠી

હળવદના દંતેશ્વર દરવાજા પાસે આવેલ ભંગારના ડેલામા કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા ક્ષણિક અફરતરફી મચી જવા પામી હતી. દંતેશ્વર દરવાજા વિસ્તરમાં આવેલ ધનાભાઈના ભંગારના ડેલામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.

- Advertisement -
- Advertisement -

આગને પગલે ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની હળવદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર સ્ટાફ મારતે ઘોડે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અવિરત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે. ફાયર સ્ટાફ પહોંચે તે પહેલાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લવતા આજુબાજુના વિસ્તારવાસીઓમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો હાલમાં હળવદ નગરપાલિકા ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવવા અથાગ પ્રયાતો હાથ ધરાયા હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!