Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીમાં વાઈનો હુમલો આવતા કેનાલમાં પડી ગયેલ આધેડનું મોત નીપજ્યું

મોરબીમાં વાઈનો હુમલો આવતા કેનાલમાં પડી ગયેલ આધેડનું મોત નીપજ્યું

મોરબીના ઉમિયાનગર સર્કલ પાસે આવેલ કેનાલના કાંઠે બેસેલ આધેડને અચાનક વાઈ આવતા કેનાલમાં પડી ગયા હતા જેથી તેમનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું, હાલ મૃત્યુના બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના કામધેનુ રિસોર્ટ પાછળ આવેલ પચીસ વારીયા આવાસ યોજનામાં રહેતા અરૂણભાઇ દલાયજીભાઇ લખતરીયા ગઇ તા.૧૪ એપ્રિલ ૨૦૨૪ના રોજ ઘરેથી મજુરી કામ અર્થે બહાર ગયા હોય ત્યારે ઉમીયાનગર સર્કલ પાસે પસાર થતી કેનાલ પાસે બેસેલ હોય તે વખતે અચાનક અરુણભાઈને જોરદાર વાઈનો હુમલો આવતા જેના કારણે તેઓ કેનાલમાં પડી ગયા હતા જેથી પાણીમા ડુબી જતા મરણ અરુણભાઈનું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ બાબતે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અરુણભાઈને ઘણા સમયથી વાઈ આવવાની બીમારી હોય તેમ મૃતકના માતા લાભુબેન દયાલજીભાઇ લખતરીયા દ્વારા જણાવ્વાયુ હતું. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની વધુ તાપસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!