Saturday, October 5, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ ગામે ગેસ લીકેજને કારણે લાગેલ આગમાં દાઝી ગયેલ ત્રણ વર્ષના...

મોરબીના ઘુંટુ ગામે ગેસ લીકેજને કારણે લાગેલ આગમાં દાઝી ગયેલ ત્રણ વર્ષના માસુમનું સારવારમાં મૃત્યુ

મૃતક બાળકના પિતા હજુ સારવાર હેઠળ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઘુંટુ ગામે આવેલ હરીનગર સોસાયટીમાં આઠ દિવસ પૂર્વે ઘરમાં ગેસ લીકેજને કારણે આગ લાગવાના બનાવમાં દાઝી ગયેલ પિતા-પુત્ર પૈકી ૩ વર્ષના માસુમ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ હરિનગર સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ પરેસા ગઈ તા. ૨૬/૦૯ ના રોજ સવારે ૬ વાગ્યાની આસપાસ પોતાના રહેણાંક મકાને ગેસ ચાલુ કર્યો ત્યારે ગેસ લીકેજને કારણે ઘરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં ભાવેશભાઈ તથા તેમનો ત્રણ વર્ષનો પુત્ર હર્ષ દાઝી ગયેલ હોય જેથી તેઓ બંનેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલ તા. ૦૪/૧૦ ના રોજ માસુમ હર્ષનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે અ.મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!