પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ના નેજા હેઠળ સંચાલિત પી.જી.પટેલ કોલેજ એક એક એવી કોલેજ છેકે જ્યાં ૨૧ જુન ના એક જ દિવસે નહિ પરંતું છેલ્લા ૭ વર્ષોથી અવિરતપણે કોલેજના સ્ટાફ અને વિધાર્થીઓ નિયમિત રીતે શિક્ષણ કાર્યની શરૂઆત યોગ દ્વારા જ કરે છે.
આજે જયારે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં HDFC બેંક ના સયુંકત ઉપક્રમે આજે વિશ્વ યોગ દિવસ નિમિતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સ્ટાફગણ HDFC બેંક ના મેનેજર નૈમિષ ભટ્ટ તથા HDFC બેંક સ્ટાફ જોડાયા હતા. મુખ્ય મેહમાન તરીકે દેના બેન્કના નિવૃત અધિકારી શ્રી હર્ષદભાઈ મણીયાર અને સરકારી શાળાના આચાર્ય રાજુભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહીને વિધાર્થીઓને યોગ વિષે માર્ગદર્શિત કર્યા હતા. આ તકે હર્ષદભાઈ મણીયારે ૭૫ વર્ષની વયે પણ શીર્ષાસન અને મયુરાસન કરીને વિધાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ તકે કોલેજના આચાર્ય, ફેકલ્ટી અને વિધાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયો પર વક્તવ્યો રજુ કરવામાં આવ્યા હતા અને કોલેજ દ્વારા આયોજિત યોગ કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિધાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.