Saturday, July 27, 2024
HomeNewsમોરબીના રફાળેશ્વર ગામે ફેકટરીનો દરવાજો ખોલવા જતાં ચોકીદારને મોતનો ભેટો

મોરબીના રફાળેશ્વર ગામે ફેકટરીનો દરવાજો ખોલવા જતાં ચોકીદારને મોતનો ભેટો

સમગ્ર રાજ્યમાંથી હાર્ટ એટેક ના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને સામાન્ય રીતે વૃદ્ધ લોકો માં હાર્ટ એટેક નુ પ્રમાણ વધુ હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી યુવાનો અને આધેડ વ્યક્તિઓના પણ હાર્ટ એટેક ના કારણે મોત થયાના ચિંતાજનક બનાવો સામે આવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના તાલુકાના રફાળેશ્વર જીઆઇડીસી માં આવેલ એક ફેકટરીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હરી બહાદુર પરીપાળ (ઉ. વ.૪૩) નામના આધેડ ગઇકાલે સાંજે ૮:૧૦ વાગ્યાના અરસા માં ફેકટરી પર નોકરી એ હતા તે દરમિયાન દરવાજો ખોલવા ની કોશિશ કરતા જ તેઓ ઢળી પડ્યા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પર ના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ થયા છે જેમાં દેખાતા દ્ર્શ્યો મુજબ મૃતક પોતાની નોકરી પર હતા તે દરમિયાન ખુરશી પર બેઠા છે અને મોબાઈલ ફોન માં સમય વિતાવી રહ્યા છે તે દરમિયાન અચાનક ઉભા થઇ ને દરવાજા તરફ જાય છે અને દરવાજો ખોલવાની કોશિશ કરતા જ તેઓ ઢળી પડે છે.

સીસીટીવી વિડિયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો

https://youtu.be/egX_UFZacNE

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!