વાંકાનેર શહેરના નવાપરા પુલના છેડે આવેલા દેવીપુજકવાસ વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય જશુબેન સુરેશભાઈ કુંઢીયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, મૃતક જશુબેનને છેલ્લા છ વર્ષથી મણકાની ગાદીની ગંભીર બીમારી હતી અને તેની સારવાર ચાલી રહી હતી. બીમારીથી કંટાળી જઈ તેમણે પોતાના ઘરે બીજા માળે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.






