Saturday, April 27, 2024
HomeGujaratમોરબીનાં મકનસર ગામ પાસે ટ્રકે ટ્રિપલ સવાર બાઇકને હડફેટે લેતા પરપ્રાંતીય શ્રમિકનું...

મોરબીનાં મકનસર ગામ પાસે ટ્રકે ટ્રિપલ સવાર બાઇકને હડફેટે લેતા પરપ્રાંતીય શ્રમિકનું મોત

બાઈકસવાર અન્ય બેને ગંભીર ઇજા થવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા

- Advertisement -
- Advertisement -

અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-વાંકાનેર વચ્ચે આવેલ સરતાનપર રોડ ઉપર આવેલ સ્પેકટ્રમ સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ બિહારના વતની મુકેશકુમાર મોહનભાઇ પાસવાન, બ્રિજેશ યાદવ તથા નંદનકુમાર પ્રદીપ રાવત નામના ત્રણ પરપ્રાંતીય શ્રમિકો ગઈકાલે મોડી સાંજના સમયે પોતાના બાઈક ઉપર ટ્રિપલ સવારીમાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર ગામ નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર ત્રણેય ને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમ્યાન મુકેશકુમાર મોહનભાઇ પાસવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે બાઈકસવારને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!