Wednesday, April 24, 2024
HomeGujaratહળવદના ધનાળા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત

હળવદના ધનાળા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત

બનાવની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ગત સાંજના ધનાળા ગામના પાટિયા પાસેથી પસાર થતા કચ્છ-અમદાવાદ હાઈવે પર આવેલી એક હોટલ પર ટ્રક ચાલક ચા-પાણી પીવા માટે ઉભા રહ્યા બાદ આ ટ્રક નાં ક્લીનર અશોકભાઈ કાંતિલાલ આંબુયા (ઉં.વ.૨૨, રહે.રાજસ્થાન) રોડ ક્રોસ કરીને સામેની હોટલે પાણી ભરવા જઈ રહ્યા હોય તે વેળાએ કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક યુવાનને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનને મૃત જાહેર કરેલ જેથી બનાવને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વધુ તપાસ હળવદ પીએસઆઈ રાધિકાબેન રામાનુજ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!