Saturday, April 27, 2024
HomeNewsMorbiમોરબીનાં જેતપર રોડ પર આવેલ કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીનાં જેતપર રોડ પર આવેલ કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકામાં આવેલ એક કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધ કરવામાં આવી.

- Advertisement -
- Advertisement -

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ગામમાં રહેતા 30 વર્ષીય મહેશ ઉર્ફે મયુર નારણભાઈ વડાવીયાએ ગઈકાલે મોડી રાત્રે જેતપર રોડ પર પાવડીયારી કેનાલ પાસે આવેલ આરટીકોન સિરામીક નજીક હરિ ઇન્ડસ્ટ્રીઝ વેસ્ટ રિ-સાયકલના સ્ટોર વિભાગની ઓરડીમાં લોખંડની એન્ગલમાં દોરડા વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલમાં પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી યુવકે ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

 

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!