વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના બેલડી ગામના વતની મુનાભાઇ શેખરસિંગ બામનીયા ઉવ.૪૦ વાળા તા.૦૮ જૂન ૨૦૨૫ના રોજ તીથવા ગામે વડસલ તળાવમા નાહવા જતા, અકસ્માતે તળાવના પાણીમા ડુબી ગયો હતો, ત્યારે સ્થાનિકોએ ફાયર બ્રિગેડમાં જાણ કરતા ફાયર બ્રિગેડ ટીમ દ્વારા માણસોએ તળાવના પાણીમા શોધખોલ શરૂ કરી તા.૦૯ જુનના રોજ સાંજના પાંચેક વાગ્યે મુનાભાઈનો મૃતદેહ તળાવના પાણીમાંથી બહાર કાઢ્યો હતો, ત્યારે સમગ્ર બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.