Sunday, May 12, 2024
HomeGujaratઅયોધ્યા થી હળવદ આવેલ અક્ષત કળશનુ વિહિપ તથા બજરંગદળ દ્વારા કરાયું ભવ્ય...

અયોધ્યા થી હળવદ આવેલ અક્ષત કળશનુ વિહિપ તથા બજરંગદળ દ્વારા કરાયું ભવ્ય સ્વાગત

અયોધ્યામાં શ્રીરામ ભગવાનનું ભવ્ય મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેમાં આગામી 22 મી જાન્યુઆરી 2024 માં અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં ‘રામલલ્લા બિરાજમાન’ થવાના છે. ત્યારે અયોધ્યાથી હળવદ આવેલ અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દિપકદાસજી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું તથા સરા નાકાથી ઢોલ નગારા સાથે અક્ષત યાત્રા લક્ષ્મીનારાયણ મંદિર સુધી લઈ જવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોયાની તથા બજરંગ દળ ગુજરાત સંયોજક ભાવેશભાઈ ઠક્કર તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ હળવદ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ તેમજ ગામના સનાતની હિન્દુ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!