Tuesday, April 30, 2024
HomeGujaratખંડણીખોરના ત્રાસથી હળવદ માર્કેટિંગ યાર્ડને લાગ્યા અલિગઢી તાળા: આજથી અચોક્કસ મુદ્દત માટે...

ખંડણીખોરના ત્રાસથી હળવદ માર્કેટિંગ યાર્ડને લાગ્યા અલિગઢી તાળા: આજથી અચોક્કસ મુદ્દત માટે યાર્ડ બંધ

હળવદ પંથકમાં ખંડણીખોરો ફાટીને ધુમાડે ગયા હોય તેમ યાર્ડના વેપારીઓ પાસેથી અવારનવાર ખંડણી માંગી ધાક ધમકી આપતા હોવાથી કંટાળી ગયેલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ગઈ કાલે ઉચ્ચકક્ષાએ આવેદનપાત્ર પાઠવ્યા બાદ આજથી અચોક્કસ મુદ્દત માટે યાર્ડ બંધ કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પાસેથી ખંડણીખોરો બેફામ બની અવાર નવાર ઊંચી રકમની માંગણી કરતા હોવાથી વેપારીઓએ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને આવેદનપત્ર આપ્યા બાદ રેલી સ્વરૂપે હળવદ પોલીસ મથકે રજુઆત માટે આવી લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર બાદ આજથી જ્યાં સુધી આ ત્રાસનો નિવેડો ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે હળવદ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે. આ મામલે હળવદ માર્કેટિંગ યાર્ડનાં વેપારીઓ અને સત્તાધીશોએ મોરબી જિલ્લાના ડીવાયએસપી રાધિકા ભારાઈ વચ્ચે બેઠક યોજાઈ હતી. છતાં પણ વેપારીઓએ તેમની માગ પર અડગ રહી અચોક્કસ મુદત સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય યથાવત રાખતા યાર્ડ બંધ રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!