Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં માલગાડી હડફેટે વૃઘ્ઘાનું મોત

મોરબીમાં માલગાડી હડફેટે વૃઘ્ઘાનું મોત

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજે તા.૬ના રોજ મોરબી શહેરમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક બપોરે ૧:૧૫ વાગ્યા આસપાસના સમયે માલગાડી પસાર થઇ હતી. આ દરમ્યાન મણીબેન ખીમાભાઇ શિયા(ઉ.વ.૯૦) માલગાડી હડફેટે આવી જતા તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. વૃઘ્ઘાને કાનમાં બહેરાશ હતી. આથી, દુર્ઘટના બની હોવાની સંભાવના છે. આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે ભીડ જમા થઇ ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવા આવ્યો છે. તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!