Friday, April 26, 2024
HomeGujaratમોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિનો લીધો ભોગ

મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિનો લીધો ભોગ

મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલ વ્યક્તિનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે. નાગડાવાસ ગામના પાટીયા પાસે જે.કે.ટી હોટલ સામે એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહનચાલકે બેફિકર અને ગફલત ભરી રીતે વાહન ચલાવીને એક વ્યક્તિને અડફેટે લેતાં જીવ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે જુના નાગડાવાસ ગામે રહેતા સુંદરમ ઉર્ફે દિલીપ લખમણ સાતોલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર સુંદરમ ઉર્ફે દિલીપ લખમણ સાતોલના ભાઈ સંજયભાઇ ઉર્ફે ગુણો લખમણભાઇ સાતોલા નાગડાવાસ ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યાર અજાણયા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને સંજય લખમણ સાતોલાને અડફેટે લઈ પછાડી દઇ જમાણા પગમા ભાગે ગંભીર ઈજા તથા ડાબા પગમા પંજાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નિપજતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી અજાણ્યા આવાહન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!