Sunday, September 8, 2024
HomeGujaratમોરબી નગરપાલીકા તથા સમસ્ત ખવાસ રજપૂત સમાજ વાંકાનેર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ...

મોરબી નગરપાલીકા તથા સમસ્ત ખવાસ રજપૂત સમાજ વાંકાનેર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન

સમસ્ત ખવાસ રજપૂત સમાજ વાંકાનેર તથામોરબી નગરપાલીકા દ્વારા આગામી તારીખ ૦૩ મે ને બુધવારના રોજ ખવાસ રજપૂત સમાજની વાડી, રામજી મંદિર, રામ ચોક, વાંકાનેરખાતે આયુષ્માન ભારત કાર્ડ કાઢવા માટેનો કેમ્પ યોજાશે.

- Advertisement -
- Advertisement -

૦૩ મે ને બુધવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા સુધી ખવાસ રજપૂત સમાજની વાડી, રામજી મંદિર, રામ ચોક, વાંકાનેર ખાતે મોરબી નગરપાલીકા (આરોગ્ય શાખા) તથા સમસ્ત ખવાસ રજપૂત સમાજ વાંકાનેર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી નગર પાલિકા તેમજ દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સમસ્ત ખવાસ – રજપૂત સમાજ વાંકાનેરના ઉપક્રમે પ્રધાનમંત્રી યોજના મુજબ જ્ઞાતિબંધુઓ તેમજ અન્ય સમાજના જરૂરીયાતમંદ પરિવાર માટે નિઃશુલ્ક આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું ભવ્ય આયોજન કરવામા આવેલ છે. જે નિમિતે તમામ સમાજને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. ત્યારે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ૨૦૨૨ પછીનો મામલતદાર કચેરીનો આવકનો દાખલો, રેશનકાર્ડ તથા આધારકાર્ડ જરૂર સાથે લાવવા આયોજકો દ્વારા સૂચના અપાઈ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આયુષ્યમાન કાર્ડનો કોઈ પણ ગંભીર બિમારીમાં કે ઓપરેશન જેવી પરિસ્થિતિમાં ૧૦ લાખ સુધીની સહાયનો લાભ મેળવી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!