Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં દીવાલ બનાવવા બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે બબાલ: તલવાર વડે હુમલો કરાયો

મોરબીમાં દીવાલ બનાવવા બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે બબાલ: તલવાર વડે હુમલો કરાયો

મોરબી નવલખી રોડ પાસે આવેલ મફતીયા પરામાં દીવાલ બનવાની બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે બબાલ થઇ હોવાની ઘટના સામે આવી છે. સેન્ટમેરી સ્કૂલ નજીક મફતિયા પરામાં એક મકાનના ફળિયામાં દીવાલ બનાવવા બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે બબાલ થઈ હતી. બબાલ એટલી ઉગ્ર બની જતા ચાર પિતરાઈ ભાઈઓએ ફરીયાદી રાજેશભાઇ પીપળીયા ઉપર તલવાર અને લાકડીથી હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર મફતિયા પરામાં રહેતા રાજેશભાઇ પીપળીયાને તેમના જ પિતરાઈ ભાઈ શંકર બાબુ પીપળીયા, અશોક બાબુ પીપળીયા, ચંદુ બાબુ પીપળીયા અને કેતન બાબુ પીપળીયાએ રહેણાંક મકાનના ફળીયામા દીવાલ બનાવવા બાબતે તલવાર અને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. મોરબી બી ડિવિઝન પોલીસે ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!