Friday, April 26, 2024
HomeGujaratપાણી પુરવઠાની લાઇનમાં બાકોરું પાડી પાણીનો પીયત માટે ઉપયોગ કરતા સીંધાવદરના ખેડૂતો...

પાણી પુરવઠાની લાઇનમાં બાકોરું પાડી પાણીનો પીયત માટે ઉપયોગ કરતા સીંધાવદરના ખેડૂતો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામેં જુની નવી કલવાડી ગામમાં જતી પાણી પુરવઠાની પાઇપલાઇનમાં બાકોરું પાડી પાણીનો ખેતીની પીયત માટે ઉપયોગ કરતા ખેડૂતો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર ગ્રૃપની જુની નવી કલવાડી ગામમાં જતી અને સીંધાવદર ગામમાંથી પસાર થતી પાણી પુરવઠાની પાઇપલાઇને તોડી ગેરકાયદે સીંધાવદર ગામના સર્વે નંબર ૨૯/૧ પૈકી-૧ /પૈકી-૧/પૈકી-૧ તથા સર્વે નંબર ૩૧૪ તથા સર્વે નંબર ૩૦૦ પૈકી ૧ સહિતના ખાતેદાર ખેડૂતોએ ગેરકાયદેસર કનેકશનો મેળવી લીધા હતા આ પીવાના પાણીનો ખેતીની પીયત માટે ઉપયોગ કરતા પોલીસે આ તમામ સામેં અમરસિંહ જેઠસુરભાઇ સીસોદીયા (ઉ.વ.૩૫ ધંધો કોન્ટ્રાકટર રહે. પાણખાણ તા.કેશોદ જી. જુનાગઢ) એ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી.કલમ ૪૩૦ પબ્લીક પ્રોપટી ડેમેજ એક્ટ-૧૯૮૪ ની કલમ-૩ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!