Friday, October 18, 2024
HomeGujaratવાંકાનેરના આરોપીને ૩૦મી એપ્રિલ સુધીમાં સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા કોર્ટનું...

વાંકાનેરના આરોપીને ૩૦મી એપ્રિલ સુધીમાં સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા કોર્ટનું જાહેરનામું

આરોપી પર ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-૫(૧)(ક)ના ભંગ બદલ કલમ-૬(ક) તથા ૧૦ હેઠળ શિક્ષાપાત્ર ગુનો નોંધયેલ છે

- Advertisement -
- Advertisement -

સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં આરોપી નં. (૨) રાજુભાઈ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઈ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ પાસે ઝૂંપડામાં, જિલ્લો મોરબી પર ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-૫(૧)(ક)ના ભંગ બદલ કલમ-૬(ક) તથા ૧૦ હેઠળ શિક્ષાપાત્ર ગુનો નોંધાયેલ છે જેના પરથી ધરપકડ વોરંટ શેરો થઈ આવેલ છે. આ આરોપી મળી આવતો નથી, ધરપકડ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતો ફરે છે અને ફરાર થયેલ છે.

સુરેન્દ્રનગર સેશન્સ જજ પી.એસ. ગઢવી દ્વારા જાહેરનામું બહાર પાડી આરોપી રાજુભાઈ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઈ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ પાસે ઝૂંપડામાં, જિલ્લો મોરબીને ફરિયાદનો જવાબ આપવા ૩૦ એપ્રિલ સુધીમાં અદાલત સમક્ષ પોતાની જાતને સરન્ડર કરવા સેશન્સ કોર્ટ સુરેન્દ્રનગર સમક્ષ સવારના ૧૦:૩૦ કલાકે હાજર થવાનું જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!