Friday, October 18, 2024
HomeGujaratમોરબીના ખોખરા હનુમાન વાળા રસ્તેથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : મજૂરો કામ...

મોરબીના ખોખરા હનુમાન વાળા રસ્તેથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : મજૂરો કામ બાબતે થયેલ માથાકૂટમાં યુવકનું ઢીમ ઢાળી દેવાયું

મોરબીના ખોખરા હનુમાન પાસે બે દિવસ પહેલા એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જેને લઈ મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. ત્યારે તેઓને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ યુવકને ઇંટુના ભઠામાં કામ કરતા અમુક ઈસમોએ મારીને નાખી દીધો છે. જેને લઈ પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગની મળતી વિગતો અનુસાર, મોરબીના વિધુતનગર, સામાકાંઠે, પ્રેમજીભાઇના મકાનમાં રહેતા અને ઇંટુના ભઠાનો ધંધો કરતા વિજયભાઇ ઉર્ફે મુન્નો ધીરૂભાઇ સાંતલપરાના ઇંટુના ભઠામાં ગત તા.૦૩/૦૩/૨૦૨૩ ના રાત્રીના સમયે એક અજાણ્યા યુવકે આવી ભઠામાં કામ કરતા મજુરો અશોક સુખાભાઇ કોળી (રહે. સુલતાનપુર તા.માળીયા(મી)) તથા જીતેશભાઇ સીતાપરા કોળી (રહે. થાન જી.સુરેન્દ્રનગર)ને કહેલ કે, ઇંટુના ભઠામાં મને કેમ મજુરી કામે રાખતા નથી તેમ કહી ઝગડો કરી મારા મારી કરવા લાગતા આરોપી મજૂરોએ મરણ જનાર અજાણ્યા પુરૂષના શરીરે પાવડાના હાથાથી આડેધડ ઘા મારી મારી નાખી, મરણ જનારની લાશને ખોખરા હનુમાન વાળા રસ્તા ઉપર નાખી આવ્યા હતા. ત્યારે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!