Monday, May 20, 2024
HomeGujaratહળવદમાં બાળકના રડવાથી કંટાળીને ઝેરી દવા પી લેનાર પરિણીતાનું મોત

હળવદમાં બાળકના રડવાથી કંટાળીને ઝેરી દવા પી લેનાર પરિણીતાનું મોત

બાળક સતત રડતો હોય કામમાં ખલેલ થતા અંતિમ પગલું ભરી લીધું

- Advertisement -
- Advertisement -

હળવદ: હળવદના શંકરપરા વિસ્તારમાં ગઈકાલે ઝેરી દવા પી લેનાર પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બાળક સતત રડતો હોય કામમાં ખલેલ થતા અંતિમ પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે.

હળવદના શંકરપરા વિસ્તારમાં રહેતી મનીષાબેન અશ્વિનભાઇ કણઝરીયા ઉવ ૨૫ નામની પરિણીતાએ ગઈકાલે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જેમાં પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ પરિણીતાનો દિકરો મીત ઉવ આ દોઢ વર્ષ વાળો અવારનવાર રડતો હોય અને પરિણીતાને કામકાજમાં કનડગત કરતો હોય જેથી પરણીત કંટાળીને પોતાની જાતેથી ઝેરી દવા પી ગઈ હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઝેરી દવા પી લેનાર પરિણીતાનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવનો નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!