Saturday, July 27, 2024
HomeGujaratહળવદમા રક્ષિત પ્રાણી ઘુડખરનુ મોત : ખારી નદી પાસેથી મળ્યા મૃતદેહ

હળવદમા રક્ષિત પ્રાણી ઘુડખરનુ મોત : ખારી નદી પાસેથી મળ્યા મૃતદેહ

ગુજરાતમાં ઘુડખર ખાસ કરીને કચ્છના નાના રણમાં જોવા મળે છે. અને ઘુડખર એક રક્ષિત પ્રાણી છે. ત્યારે આ રક્ષિત પ્રાણી ઘુડખરનો હળવદમા મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના માલણીયાદ નજીક ખારી નદી પાસેથી રક્ષિત પ્રાણી ઘુડખરનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે અહીં આવેલ અભ્યારણ્ય વિસ્તારમાં ઘુડખરનુ મોત થતા તંત્રની સલામતી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે બનાવની જાણ થતાં ‌જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોચ્યા હતા અને મોતનું કારણ જાણવા ઘુડખરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!