Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના કુબેરસીનેમા થી શોભેશ્વર મંદિર તરફ જતા રસ્તા પરની તમામ બંધ સ્ટ્રીટ...

મોરબીના કુબેરસીનેમા થી શોભેશ્વર મંદિર તરફ જતા રસ્તા પરની તમામ બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માંગ

મોરબીના સામાજિક કાર્યકરોની પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજિક કાર્યકરોએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર તરફ જતાં રસ્તા પર તમામ સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૧ માર્ચના રોજ આવનારી શિવરાત્રી પર્વને અનુલક્ષીને શોભેશ્વર મંદિરે મોડી રાત સુધી ભાવિકોની અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત આ રસ્તા પર જ એક વૃદ્ધાશ્રમ અને વિકાસ વિદ્યાલય પણ આવેલા હોય તેમજ આ વિસ્તારમાં શ્રમિકોનો પણ મોટાપાયે વસવાટ હોય રાત્રિના સમયે તમામ સ્થાનિકોને સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને લઇને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરોક્ત વિસ્તારમાં અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો પણ ઘણી વખત રાહદારીઓને પરેશાન કરતા હોય ત્યારે કોઈ મોટી ઘટના ઘટે તે પહેલા આ વિસ્તારની તમામ સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરાવવા માટે સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા તેમજ મુસ્તાકભાઈ બ્લોચ સહિતનાઓએ ચિફ ઓફિસર સહિત મોરબી જિલ્લા કલેકટરને પણ અરજી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!