Tuesday, May 21, 2024
HomeGujaratમોરબીમાં કાલીકા પ્લોટ ખાતે દિવ્ય કળશ યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત

મોરબીમાં કાલીકા પ્લોટ ખાતે દિવ્ય કળશ યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે આજરોજ મોરબીના કાલીકા પ્લોટ-૨ ખાતે અક્ષત કળશ યાત્રા આવી પહોંચતા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અયોધ્યાથી ભગવાન શ્રી રામ મંદિરના અક્ષત કળશ યાત્રા મોરબીના કાલીકા પ્લોટ – ૨ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું. જેમા વિશ્વહિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાન્ત અધ્યક્ષ ( સામાજીક સમરસતા), બજરંગ દળ જીલ્લા સંયોજકની ઉપસ્થિતિમાં જય શ્રી રામના નારા સાથે પુજન અર્ચન કરી ઢોલ નગારા સાથે કળશને વધાવી લેવામાં આવ્યા હતા. લતાવાસીઓએ ઉત્સાહભેર ભાગ લઈ શ્રી રામ ભગવાન મય વાતાવરણ સર્જીત કર્યુ હતું. તેમજ ઢોલ વગાડનારે પણ પુજન કરી સામાજીક સમરસતાનુ ઉતમ ઉદારણ પૂરું પાડ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!