Monday, May 6, 2024
HomeGujaratઆગામી તા ૨૮ માં રોજ નવયુગ કેરિયર એકેડેમી દ્વારા PSI/ કૉન્સ્ટેબલ માટે...

આગામી તા ૨૮ માં રોજ નવયુગ કેરિયર એકેડેમી દ્વારા PSI/ કૉન્સ્ટેબલ માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન

મોરબીની નવયુગ કેરિયર એકેડેમી દ્વારા PSI/ કોન્સ્ટેબલ પરીક્ષા માટે ફ્રી સેમીનારનું આયોજન તા. ૨૮ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે વિદ્યાથીઓને વોટ્સએપ નંબર પર રજીસ્ટર કરાવી સેમિનારનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે…

- Advertisement -
- Advertisement -

હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે. ત્યારે PSI/ કૉન્સ્ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન નવયુગ કૅરિયર ઍકેડેમી દ્વારા કરવામાં આવ્યું છે. મોરબીનાં યુવાન/યુવતીઓને સારું માર્ગદર્શન મળે તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ? શું વાંચવું ? તેમજ કયા વિષયનું કેટલું પુછાય ? તેવા અનેક પ્રશ્નોના જવાબ મળી રહે તેવા હેતુ સાથે સેમિનાર યોજવામાં આવી રહ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત તેમજ મોટીવેશનલ વક્તા પ્રતિકભાઇ કાછડિયા તેમજ જગતદાન ગઢવી સાહેબઆ સેમિનારમાં માર્ગદર્શન આપશે. જે સેમિનારમાં વિશેષ ડીવાયએસપી સમીર સારડા સર માર્ગદર્શન આપી ઊપસ્થિત રહેશ. મોરબીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેમિનારનો લાભ લેવા આહ્વાન કરવામાં આવે છે. જેના માટે વિધાર્થીઓ વોટ્સએપ નંબર 97272 47472 પર પોતાનું નામ નોંધાવી શકે છે. જે સેમીનારનું આયોજન તા.૨૮/૪/૨૪ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી મોરબીના સનાળા રોડ, GIDC, સંસ્કાર ઇમેજીંગ સેન્ટર સેમિનાર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!