Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેરની પાણી પુરવઠા બોર્ડ કચેરીનાં પટાંગણમાં આગ લાગતા અંદાજે ૨૫ લાખથી વધુનો...

વાંકાનેરની પાણી પુરવઠા બોર્ડ કચેરીનાં પટાંગણમાં આગ લાગતા અંદાજે ૨૫ લાખથી વધુનો સામાન ભસ્મીભૂત

વાંકાનેરમાં વધુ એક આગજનીની ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેરના હસનપર નજીક આવેલ પાણી પુરવઠા બોર્ડ કચેરીનાં પટાંગણમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે સમય સુચકતા દાખવી લોકોએ ફાયર વિભાગને બનાવની જાણ કરતા મોરબી ફાયર ફાઈટર અને વંકાનેર ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર, ખુલ્લામાં પડેલ પાઇપના જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અને આગજનીના બનાવમાં આશરે ૨૫ લાખ કરતા વધુનુ નુકશાન થયાની આશંકા હાલ અધિકારીઓ દ્વારા સેવાઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!