Wednesday, May 1, 2024
HomeGujaratમોરબીમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ : હજારો રામ ભક્તો યાત્રામાં જોડાયા

મોરબીમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ : હજારો રામ ભક્તો યાત્રામાં જોડાયા

આજે ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ મંદિરોમાં પૂજા, આરતી અને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરનાં રામજી મંદિરો જયશ્રી રામના નાદ સાથે ગુંજી ઊઠ્યા હતા. ત્યારે મોરબીમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં હજારો રામ ભક્તો જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -

આજે દેશભરમાં રામનવમીનાં તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર ધર્મસભા તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.

જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ આ શોભાયાત્રા મોરબી શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી. જેથી સમગ્ર મોરબી શહેર રામમય બન્યું હતું. શોભા યાત્રા મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં ભવ્ય મહા આરતી યોજાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!