Wednesday, May 1, 2024
HomeGujaratમોરબીમાં શ્રી રામજી ની શોભાયાત્રાનું શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા સ્વાગત કરાયું

મોરબીમાં શ્રી રામજી ની શોભાયાત્રાનું શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા સ્વાગત કરાયું

આજે દેશભરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ અવસર પર લોકો મન મુકીને દાન-ધર્મનું કામ કરી રહ્યા છે. અને ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન થાય છે. ત્યારે મોરબી માં યોજાયેલ શ્રી રામ જી ની શોભાયાત્રાનું શ્રી પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મોરબીમાં ગઈકાલે હિન્દુ સંગઠનો દ્વારા યોજાયેલ ભવ્ય શોભાયાત્રાની સ્વાગત કરી તેમાં ભાગ લઈ રામ લલ્લાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા એચડીએફસી ચોક ખાતે શ્રી રામ ભગવાનને હાર તોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ પ્રથમ રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ફલોટ સાથે શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!