Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ નકલંક ગુરુધામ ખાતે ચાલતી રામદેવ રામાયણ કથાનું ધામધૂમપૂર્વક પુર્ણાહુતી

હળવદ નકલંક ગુરુધામ ખાતે ચાલતી રામદેવ રામાયણ કથાનું ધામધૂમપૂર્વક પુર્ણાહુતી

ભોજન ભક્તિ ભજન નો ત્રિવેણી સંગમ,અનેક સાધુ સંતો મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક રામદેવ રામાયણ નું સમાપન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડીયુ હતું.

- Advertisement -
- Advertisement -

હળવદના શકિતનગર આવેલ નકલંક ગુરુધામ ખાતે ગૌ શાળા ના લાભાર્થે ૧૮/૦૪ થી ૨૪/૪ સુધી રામદેવ રામાયણ કથા નો ધામધૂમપૂર્વક પ્રારંભ થયો હતો. વક્તા શ્રી રાધે કૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા કથાનું અમુતપાન કરાવવામાં આવ્યું હતું.રામદેવ પીર બાબા નો જન્મ,રામદેવજી વિરમદેવજી ના વિવાહ, સગુણા બેન ના લગ્ન,હરજીભાઠી નું મિલન વગેરે પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.રોજ સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું. કથા ના સમાપન દિવસે ૫૧ કુંડી વિષ્ણુયાગ નું આયોજન કરવામાં આવ્યું હતું. નકલંક ગુરૂધામ ના મહંત દલસુખરામ મહારાજ, પરમ પૂજ્ય ગુણવંતી દેવી લેસ્ટર,પીપળી ધામ મહંત વાસુદેવબાપુ, મુખી મહારાજ, તેમજ અનેક સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, યોગી મહારાજ તેમજ નકલંક ગુરુધામ ના સ્વયંમ સેવકો દ્વારા ખુબજ સુંદર મજા નું આયોજન કરવામાં આવ્યું હતું. કથા સમય દરમિયાન ભોજન ભક્તિ ભજન નો ત્રિવેણી સંગમ સ્વયં સેવક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!