Friday, April 26, 2024
HomeGujaratવેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સનો મહત્વપૂર્ણ નિર્ણય : હળવદમાં કોરોના મહામારીને...

વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સનો મહત્વપૂર્ણ નિર્ણય : હળવદમાં કોરોના મહામારીને પગલે કાલથી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

મોરબી જિલ્લાને કોરોનાએ બાનમાં લીધો છે ત્યારે હળવદ પણ તેમાંથી બાકાત નથી. હળવદમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મીટીંગ યોજવામાં આવી હતી જેમાં તા. ૨૭ ને મંગળવારથી અડધો દિવસ લોકડાઉનમાં જોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં વેપારીઓ બપોરે ૨ વાગ્યા બાદ દુકાનો બંધ રાખી અડધો દિવસ સ્વૈચ્છિક બંધ પાળશે બપોરે ૨ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવામાં આવશે અને પરિસ્થિતિ કાબુમાં ના આવે ત્યાં સુધી અડધો દિવસ લોકડાઉનનું પાલન કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!