Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં એક જ દિવસમાં સાત અકાળે મોતના બનાવો નોંધાતા ખળભળાટ

મોરબીમાં એક જ દિવસમાં સાત અકાળે મોતના બનાવો નોંધાતા ખળભળાટ

મોરબીમાં આપઘાત અને અકસ્માતોના બનાવોએ માજા મૂકી છે. ત્યારે ગઈકાલે પોલીસ ચોપડે કુલ સાત અકાળે મોતના બનાવો નોંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીના લાભનગર ધરમપુર રોડ ખાતે રહેતા રાજેશ બટુકભાઇ જોષી નામના યુવકને પોતાના ઘરે કોઇપણ રીતે ઇલેક્ટ્રિક શોક લાગતા તેને તાત્કાલિક મોરબી સરકારી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

જયારે બીજા બનાવમાં, મોરબીનાં ભડીયાદ કાંટા પાસે જંગ્લેશ્વર વિસ્તારમાં રહેતા સુરેશભાઇ ગોવિંદભાઇ ડાભીને પોતાની પત્ની વનીતાબેન સાથે છેલ્લા પાંચેક વર્ષથી અવારનવાર માથાકૂટ થતી હોય ત્યારે સુરેશભાઇની પત્નિ છેલ્લા પંદર દિવસથી પોતાના પિયર જતી રહેતા આ કામે સુરેશભાઇને લાગી આવતા તેણે પોતાના પિતાના ઘરે જઇ પ્લાસ્ટીકની દોરીથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે સમગ્ર મામલે મૃતકના નાના ભાઈ નિલેશભાઇ ગોવિંદભાઇ ડાભીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશનો કબ્જો મેળવી અકાળે મોતની નોંધ કરી હતી.

ત્રીજા બનાવમાં, ધ્રાંગધ્રાનાં જેસડા ખાતે રહેતા અનીરુધ્ધસિંહ રૂપસિંહ ઝાલા નામનો યુવક રનમલપુર અને ઘણાદ વચ્ચે નર્મદા કેનાલમા કોઇપણ કારણોસર ડુબી જતા તેના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

ચોથા બનાવમાં, હળવદમાં હરીદર્શન હોટલ પાછળ રહેતો દિપકભાઇ રમેશભાઇ માનકર નામનો યુવક નર્મદા કેનાલમા પાણીના ચાલુ પ્રવાહમા ન્હાવા પડતા અકસ્માતે પગ લપસી જતા પાણીમા ડુબી જતા તેને બહાર કાઢી હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

જ્યારે પાંચમા બનાવમાં, વાંકાનેરનાં મકરાણી વાસ ખાતે રહેતા આફતાબભાઇ અહેમદભાઇ બ્લોચ પાડધરા ગામે નદીમાં કોઇપણ કારણોસર ડુબી જતા તેને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

છઠ્ઠા બનાવમાં, વાંકાનેરનાં ખોજાખાના ખાતે રહેતા ધીરૂભાઇ દેસુરભાઇ તરેટીયા નામના વૃદ્ધ ગત તારીખ.૧૫/૦૬/૨૩ ના બપોરના સાડા ત્રેણેક વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે વાવાઝોડા ના કારણે પડી જતા માથામાં તથા શરીરે ગંભીર ઇજા થતા પ્રથમ સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પીટલ તથા વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ઇમરન્સી વોર્ડ મા દાખલ કરેલ હતા જેનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

સાતમા બનાવમાં, ટંકારાના યુનુશભાઈ બાદિ ની વાડિએ અમરાપર ગામ ખાતે રહેતી મૂળ એમ.પી.ની યુવતી પોતાની વાડિએથી બે દિવસ પહેલા બહાર નીકળી ગયેલ હતી. જેની ગઈકાલે સવારના સાતેક વાગ્યે હુશેનભાઈ બાદિના કુવામાથી મૃતદેહ મળી આવતા સારવારમા ટંકારા સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!