Monday, May 20, 2024
HomeGujaratહળવદ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર માં નવ દિવસ અખંડ શ્રી રામ ધૂન...

હળવદ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર માં નવ દિવસ અખંડ શ્રી રામ ધૂન ભવ્ય આયોજન

હળવદ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે તારીખ : ૧૯/૦૮/૨૦૨૨ – થી ૨૮/૮૨૦૨૨ સુધી રામધુન નું ભવ્ય આયોજન

- Advertisement -
- Advertisement -

હળવદ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર હળવદ માં, પૂર્વ મહંત શ્રી ૧૦૦૮ રામબાલકદાસજી યોગેશ્ર્વર દ્વારા ઈશ્ર્વરીય પ્રેરણા થી વર્ષ ૧૯૭૮ થી શ્રાવણ માસ નિમિતે અખંડ “શ્રી રામધૂન” ને ચાલુ કરવામાં આવેલ. આ “શ્રી રામ ધૂન” છેલા ૪૪ વર્ષ થી દર શ્રાવણ માસ માં ચાલુ હતી અને આ વર્ષે આ “શ્રી રામ ધૂન” ૪૫ માં વર્ષે પણ ચાલુ છે. “શ્રી રામ ધૂન” નો ઉદેશ નગરજનો ના કલ્યાણ નો છે. હાલ માં આ વર્ષે “શ્રી રામ ધૂન” તારીખ ૧૯/૦૮/૨૦૨૨ થી કૂલ ૯ દિવસ અખંડ–શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે રાત દિવસ ચાલુ રહેશે. અને તારીખ ૨૮/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૦ વાગ્યા પૂર્ણ કરવામાં આવશે. જેમાં વર્તમાન મહંત “ શ્રી દીપકરામદાસજી સંત પરીવાર” તથા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ના સમસ્ત શિષ્ય પરીવાર પોતાના સમય નો યોગદાન આપીને જહેમત ઉઠાવી રહ્યા છે. સૌ નગરજનો ને આ “શ્રી રામ ધૂન” માં પધારવા આમંત્રણ છે – મહંત શ્રી લક્ષ્મી નારાયણ મંદિર – હળવદ દ્વારા આપવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!