Thursday, May 9, 2024
HomeGujaratમોરબીના લખધિરપર રોડ પર કેનાલમાં પડેલા યુવાનના મૃતદેહને ફાયર બ્રિગેડના તરવૈયાઓએ ૨૪...

મોરબીના લખધિરપર રોડ પર કેનાલમાં પડેલા યુવાનના મૃતદેહને ફાયર બ્રિગેડના તરવૈયાઓએ ૨૪ કલાકની જહેમત બાદ શોધી કાઢ્યો

મોરબીના લખધીરપુર રોડ પર RAK કંપની પાસે આવેલ કેનાલમાં ગઈકાલે પરપ્રાંતીય 26 વર્ષીય યુવાન પડી ગયો હતો. જેની ફાયર વિભાગના તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા અંતે આજે 24 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં લખધીરપૂર ગામ નજીક આવેલ RAK કંપની પાસે ગઈકાલે ઉતર પ્રદેશના ફિરોજાબાદનો રહેવાસી રાજુ નાયક અગમ્ય કારણોસર મચ્છુ કેનાલમાં પડી ગયો હતો. જે અંગેની જાણ થતા જ ફાયર વિભાગના તરવૈયાઓ ગઈકાલે કેનાલ પાસે પહોંચ્યા હતા અને યુવકની શોધખોળ આરંભી હતી. ત્યારે 24 કલાકની ભારે જહેમત ઉઠાવ્યા બાદ આજે પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે યુવકની મોતને લઇ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!