Saturday, May 11, 2024
HomeGujaratહળવદ પંથકમાં બે પરિણીતાએ ભૂલથી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાઈ

હળવદ પંથકમાં બે પરિણીતાએ ભૂલથી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાઈ

હળવદ તાલુકામાં બે પરિણીતાએ પાણીને બદલે ભૂલથી દવા પી લેતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ભોગગ્રસ્તના નિવેદનો નોંધવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

બનાવની જાણવા મળતી વિગત અનુસાર હળવદ ખાતે રમેશભાઇ દલવાડીની વાડીમા રહેતા અનીતાબેન છનાભાઇ ડામોર 22 વર્ષીય પરિણીતાએ ઘરે વ્હેલી સવારે ભુલથી પાણી પીવાના બદલે ભુલથી દવાની બોટલમાથી એકાદ –બે ઘુટડા પી લીધા હતા. મૂળ દાહોદ જિલ્લાના ધાનપુરના રહીશ અનીતાબેન ડામોરને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

અન્ય એક બનાવમાં હળવદ તાલુકાના રણમલપુર ગામેં મહીપતભાઇ મનજીભાઇ પટેલની વાડીએ રહેતા રમીલાબેન વિજયભાઇ રાઠવા (ઉ.વ.૨૮)એ બીમાર હોય જે રાત્રીના સમયે પાણી પીવા જતા પાણીને બદલે ઊંઘમાં દવાની બોટલ હાથમાં આવી ગઈ હતી. જ બોટલમાંથી ભૂલમાં પી લેતા તેને ઝેરી અસર થઈ હતી જેને લઈને તને આરાવર માટે ખસેડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!