Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેરમાં ભરણપોષણનો કેસ કરવા મામલે સાસરિયાઓએ પરિણીતાને માર માર્યો : ફરીયાદ નોંધાઈ

વાંકાનેરમાં ભરણપોષણનો કેસ કરવા મામલે સાસરિયાઓએ પરિણીતાને માર માર્યો : ફરીયાદ નોંધાઈ

મારામારીના આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ડો.દેલવાડીયાના દવાખાના પાસે દેવીપુજક વાસ મચ્છુ નદીના કાંઠે રહેતી ઉમાબેન હરસુખભાઇ ચારોલીયા (ઉવ.૨૭) એ આરોપીઓ મેહુલભાઇ મનુભાઇ ગોઢકીયા, રમેશભાઇ શામજીભાઇ ગોઢકીયા, દિનેશભાઇ શામજીભાઇ ગોઢકીયા, મુકેશભાઇ મનુભાઇ ગોઢકીયા, સુરેશભાઇ મનુભાઇ ગોઢકીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૮ ના રોજ બનેલા આ બનાવમાં ફરિયાદી પોતાના માવતરે રીસામણે હોય સસરાપક્ષ સાથે ભરણપોષણનો કેસ થયેલ હોય વાંધો ચાલતો હોય તે બાબતે આરોપીઓએ ખાર રાખીને ધોકા જેવા હથીયાર સાથે ફરિયાદીના ઘરે જઇ આરોપીઓએ ધોકા વડે મુંઢ માર મારી ગાળો આપી પાંચેય આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!