Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં નવ માસ પૂર્વે બનેલ બનાવનો ખાર રાખી બેઝબોલના ધોકાથી ઈસમે વૃદ્ધને...

મોરબીમાં નવ માસ પૂર્વે બનેલ બનાવનો ખાર રાખી બેઝબોલના ધોકાથી ઈસમે વૃદ્ધને ઢોર માર માર્યો

મોરબીનાં વેજીટેબલ રોડ પાસે રહેતા વૃધ્ધનો આજથી નવેક મહીના પહેલા કનકસિંહ જાડેજા નામના શખ્સ તથા તેના પુત્ર સાથે ઝગડો થયો હતો. જેનો ખાર રાખી કનકસિંહના પુત્રે આધેડ જયારે સિધ્ધેશ્વર મહાદેવના મંદીરના ગ્રાઉન્ડમા બેઠા હતા ત્યારે તેના પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વેજીટેબલ રોડ ભાગ્યલક્ષમી સોસાયટી મોરબી ૦૨ ખાતે રહેતા વનરાજસિંહ ભુપતસિંહ ઝાલા નામના વૃધ્ધ ગત તા-૩૧/૦૩/૨૦૨૩ ના રોજ સાંજના સમયે લાલબાગ પાસે આવેલ સિધ્ધેશ્વર મહાદેવના મંદીરના ગ્રાઉન્ડમા બેઠા હોય ત્યારે ગીરીરાજસિંહકનકસિંહજાડેજા(રહે-.મોરબી-૨,વેજીટેબલ રોડ,ભાગ્યલક્ષમી સોસાયટી) નામના આરોપીએ તેના હાથમા બેઝબોલનો ધોકો લઈ આવી વૃદ્ધને કહેલ કે, “આજથી નવેક મહીના પહેલા તમે મારા બાપુજી તથા ભાઈ સાથે ઝઘડો કેમ કરેલ” તેમ કહી બોલાચાલી ઝઘડો કરી ગાળો આપતા વૃધ્ધે ગાળો આપવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ તેના હાથમા રહેલ બેઝબોલના ધોકાથી તેને માથાના ભાગે તથા જમણા ખંભાના ભાગે મારતા વૃધ્ધ પડી જતા તેને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!