Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં ભાઈના જુના ઝઘડામાં સમાધાન કરવા જતા યુવકને ચાર ઈસમોએ ઢીબેળી નાખ્યો

મોરબીમાં ભાઈના જુના ઝઘડામાં સમાધાન કરવા જતા યુવકને ચાર ઈસમોએ ઢીબેળી નાખ્યો

મોરબીમાં મારામારીનાં બનાવો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક મારામારીનો બનાવ પંચાસર ચોકડી પાસેથી સામે આવ્યો છે. જેમાં પિતરાઈ ભાઈના જુના ઝગડામાં સમાધાન કરવા જતા યુવકને ૪ ઈસમોએ ઢીબેળી નાખ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં નાગલપર ગામ ખાતે રહેતા મોહનભાઈ પ્રેમજીભાઈ મકવાણા નામના યુવકે જૂની અદાવત ભુલાવી પોતાના પિતરાઈ ભાઈના જુના ઝગડામાં સમાધાનમાં જતા વિશાલભાઈ બટુકભાઈ ઉંચાણા, અતુલભાઈ બટુકભાઈ ઉંચાણા, સતિષભાઈ બટુકભાઈ ઉંચાણા તથા દીલીપભાઈ બાબુભાઈ કોરડીયા (તમામ રહે.અમરાપર ગામ તા.જી.મોરબી) નામના આરોપીઓને સારૂ નહિ લાગતા જૂની અદાવત રાખી પંચાસર ચોકડી નજીક આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ફરીને પીઠના તથા પેટના તેમજ અન્ય શરીરે લાતો ઢીંકાથી મુંઢ ઈજાઓ કરી ગાળો ભુંડા બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!