Saturday, April 20, 2024
HomeGujaratમોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે આજ રોજ મોરબીના હિનાબેન અમિતભાઈ દક્ષિણી એ તેમના જન્મદિવસની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના હિનાબેને સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર નાગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, ચિરાગ રાચ્છ જલારામ સેવા મંડળનાં પ્રમુખ નિર્મિત કક્કડ સહીતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!