Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેરમાં 'તુ મારા મજુરોને કેમ તોડે છે?' તેમ કહી બે ઇસમોએ યુવક...

વાંકાનેરમાં ‘તુ મારા મજુરોને કેમ તોડે છે?’ તેમ કહી બે ઇસમોએ યુવક પર હુમલો કર્યો

વાંકાનેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. જેમાં બે ઈસમોએ તુ મારા મજુરોને કેમ તોડે છે તેમ કહી એક મજૂરને લોખંડના પાઇપ વતી માર મારતા ઈજાગ્રસ્ત મજુરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. તેમજ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં હશનપર શકિતપરા ખાતે રહેતા રાજેશભાઇ કલ્યાણજીભાઇ માણેવાડીયા નામના મજૂરને યુનુશભાઇ હાલા (રહે મીલ પ્લોટ વાંકાનેર)એ તુ મારા મજુરોને કેમ તોડે છે તેમ કહી ગાળો આપી બોલાચાલી કરી ઢીંકા પાટુનો મારમારી મકસુદભાઇ (રહે શકિતપરા તા.વાંકાનેર)એ ફરિયાદીને પાછળથી પકડી રાખી યુનુશભાઇએ લોખંડના પાઇપ વતી ડાબા પગના ઢીંચણના ભાગે મારમારી ફેકચર જેવી ઇજા કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!