Saturday, May 18, 2024
HomeGujaratઆવતીકાલે ખોખરા હનુમાન, હરિહરધામના આંગણે વેદ વિદ્યાલય, સંસ્કૃત મહાવિદ્યાલય, ગુરુકુળના નવા ભવનનો...

આવતીકાલે ખોખરા હનુમાન, હરિહરધામના આંગણે વેદ વિદ્યાલય, સંસ્કૃત મહાવિદ્યાલય, ગુરુકુળના નવા ભવનનો ઉદ્ઘાટન મહોત્સવ

મોરબી પંથકમાં આવેલ ખોખરા હનુમાન, હરિહરધામના આંગણે વેદ વિદ્યાલય, સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકુળના નવા ભવનના ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરાયું છે. આવતીકાલે 3 ઓક્ટોબરના રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરશે. આ અવસરે સ્વાગત પ્રવચન, અગ્રણી ઉદ્યોગપતિ, દાતાઓ દ્વારા સંતોનું પૂજન તથા રાજકીય અગ્રણીઓનો સન્માન સમારોહ સહિતના કાર્યક્રમ યોજાશે.

- Advertisement -
- Advertisement -

હરિહરધામના આંગણે આયોજિત આ ઉદ્ઘાટન મહોત્સવમાં ભાજપ, રાષ્ટ્રીય મહા સચિવ કૈંલાશ વિજયવર્ગીસ,સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઇ કુંડારિયા, મંત્રી બ્રિજેશ મેરજા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના અનેક અગ્રણીઓ હાજર રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!