Friday, April 26, 2024
HomeGujaratરાજકોટ ઇન્ચાર્જ CP દ્વારા પાંચ પીઆઈ ની આંતરિક બદલીઓ કરાઇ

રાજકોટ ઇન્ચાર્જ CP દ્વારા પાંચ પીઆઈ ની આંતરિક બદલીઓ કરાઇ

રાજકોટ ઇન્ચાર્જ સીપી ખુર્શીદ એહમદ દ્વારા શહેરમાં ફરજ બજાવતા પાંચ પીઆઈ ની મોડી સાંજે આંતરિક બદલીઓ કરાઇ હતી જેમાં રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ પીઆઈ તરીકે ફરજ બજાવતાં દબંગ પીઆઈ જે ડી ઝાલાને એસઓજી પીઆઈ, એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ ફરકાવતા જી એમ હડીયાને ગાંધીગ્રામ પોલીસ મથક, એસઓજી પીઆઈ તરીકે ફરજ બજાવતાં સી જી જોશીને ફરી એ ડિવિઝન પોલીસ મથક, એ ડિવિઝન પીઆઈ વી જે ફર્નાન્ડિઝ ને ટ્રાફિક પીઆઈ તરીકે આને ટ્રાફિક પીઆઈ તરીકે ફરજ બજાવતાં વી આર રાઠોડને એરપોર્ટ પોલીસ મથકમાં પીઆઈ તરીકે બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ઉલ્લેનીય છે કે રાજકોટ માં પોલીસના વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે ઇન્ચાર્જ સીપી દ્વારા બદલીઓ કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે જો કે આ બધાના આદેશ કરતા અને રંગીલા રાજકોટને કમિશ્નર ક્યારે મળશે એ કહેવું મુશ્કેલ છે ત્યારે આગામી મહિનામાં સારી છાપ ધરાવતા આઇપીએસ ને રાજકોટ શહેરની બાગડોર સીપી તરીકે આપવા ગૃહ વિભાગે બેઠક યોજી હોવાનું પણ આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!