Saturday, April 20, 2024
HomeGujaratટંકારાના નસીતપરની ગુમ થયેલી પરિણીતાએ મૈત્રીકરાર કરી લીધા હોવાનું બહાર આવ્યું

ટંકારાના નસીતપરની ગુમ થયેલી પરિણીતાએ મૈત્રીકરાર કરી લીધા હોવાનું બહાર આવ્યું

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના નસીતપર ગામે રહેતી નયનાબેન મહેશભાઇ સૈજા (ઉ.વ.૪૧) નામની પરિણીતા ગત તા.૮ સવારના દસ વાગ્યના અરસામા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આ બનાવની ગુમસુદા નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે સઘન તપાસ ચલાવતા મોરબીના શનાળા રોડ મોટેશ્વર મહાદેવ મંદિર પાછળ જોધાણીની વાડી વિસ્તાર દેવરામભાઇ વિરજીભાઇ ચાવડાના રહેણાંક મકાનેથી આ ગુમ થયેલી પરિણીતા મળી આવી હતી અને તેણીએ પોલીસ સમક્ષ પરિણીતાને દેવરામભાઇ વીરજીભાઇ ચાવડા જાતે સતવારા રહે.મોરબી વાળા સાથે મૈત્રી કરાર હોય અને તેની સાથે જ રહેવા માંગતા હોય તેવું નિવેદન નોંધાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!