Wednesday, October 23, 2024
HomeGujaratચાર દિવસથી ગુમ થયેલ પ્રેમી યુગલે મોરબીના મચ્છુ-2 ડેમમાં સજોડે ઝંપલાવી જીવતરનો...

ચાર દિવસથી ગુમ થયેલ પ્રેમી યુગલે મોરબીના મચ્છુ-2 ડેમમાં સજોડે ઝંપલાવી જીવતરનો અંત આણ્યો

મોરબી તાલુકાના જોધપર નજીક આવેલ મચ્છુ 2 ડેમમાં સાજોડે ઝંપલાવી પ્રેમી પંખીડાએ જીવતરનો અંત આણતા ચકચાર મચી જવા પામી છે. બને પ્રેમી યુગલ છેલા ચાર દિવસથી ગુંમ હોવાની પોલીસ મથકમાં જાણ પણ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

બનાવની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા ક્રિષ્નાબેન શક્તિભાઈ જેઠવા (ઉ.વ.18) અને મોરબીના લાયસન્સનગર મા રહેતા ધવલભાઈ રાઠોડ (ઉ.વ.19) નામના યુવાન વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. આ દરમિયાન બન્ને છેલ્લા ચાર દિવસથી કોઈ પણ પરિવારજોને જાણ કર્યા વગર ઘરેથી ક્યાંક ચાલ્યા જતા લાપતા બન્યા હતા અને તેની શોધખોળ કરવા છતા પણ બન્નેની ક્યાંય ભાળ મળી ન હતી. જેને લઈને બન્ને ના પરિવાર એ પોલીસ મથકમાં ગુમ નોંધ પણ કરી હતી. ઘરેથી ભાગી ગયા બાદ સમાજ બંને પ્રેમીઓને એક નહિ થવા તે ડરને લીધે આજે જોધપર નજીક આવેલ મચ્છુ 2 ડેમના જળ પ્રવાહમાં ઝંપલાવી સજોડે મોત વ્હાલું કરતા બન્ને યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે જાણ થતા પોલીસે દોડી જઇ કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!