Saturday, April 27, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે પાટીદારોની મહારેલી:કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા કલેકટરને આવેદન અપાશે

મોરબીમાં આવતીકાલે પાટીદારોની મહારેલી:કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા કલેકટરને આવેદન અપાશે

સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા મહા રેલી યોજવામાં આવશે. કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર સમાજની દીકરી વિશે કરેલ ટિપ્પણીને લઇને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અને તેને લઇને મોરબીમાં મહારેલી યોજી કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતની એક સભામાં પાટીદાર સમાજની દીકરીઓ, વાલીઓ, માતાઓ અને ઉધોગપતિઓ વિશે કરેલી અભદ્ર અશોભનીય કરેલ બફાટના વિરુદ્ધ માં સમગ્ર મોરબી જીલ્લાના તમામ પાટીદાર સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલીમાં મોરબી જિલ્લાના રહેતા પાટીદાર સમાજના યુવાનો, વડીલો, માતાઓ અને ઉધોગપતિઓને આહવાન કરવામાં આવ્યું છે. જે રેલી મોરબીના શનાળા રોડ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી તા. ૩૦/૦૩/૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે શરૂ કરવામાં આવશે જે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!