Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં 23 માર્ચ-શહિદ દિન નિમિતે "શહીદ સ્મૃતિ રેલી" નું આયોજન કરાયું

મોરબીમાં 23 માર્ચ-શહિદ દિન નિમિતે “શહીદ સ્મૃતિ રેલી” નું આયોજન કરાયું

મોરબીની નીલકંઠ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માં રાષ્ટ્રપ્રેમ તેમજ રાષ્ટ્ર ભાવનાનું સર્જન થાય તેવા ઉમદા આસયથી 23 માર્ચ-શહિદ દિન નિમિતે “શહીદ સ્મૃતિ રેલી” નું આયોજન કરવામાં આવ્યું છે.જેનો પ્રારંભ સવારે 8.30 કલાકે નીલકંઠ વિધાલયથી કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

રેલીમાં નીલકંઠ વિદ્યાલય ના ધો 5 થી 11 ના વિદ્યાર્થીઓ ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર 75 જેટલા ક્રાંતિકારીઓની વેશભૂષા રજૂ કરશે અને તેમની દેશ પ્રત્યેની નિષ્ઠા,ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાનીની મોરબીના લોકોને સ્મૃતિ અપાવશે.વધુમાં 200 વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મમાં પરેડ કરશે. ઉપરાંત 50 જેટલા વિદ્યાર્થીઓ નેવી અને 50 વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મમાં પરેડ કરશે. આ ઉપરાંત મોરબી ના Ex Army Officer અને ક્રાંતિકારી સેના પણ રેલીમાં જોડાઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.જેમાં નીલકંઠ વિદ્યાલય ના 750 વિદ્યાર્થીઓ ભાગ લેશે. અને મોરબીની રાષ્ટ્રપ્રેમી સામાજિક સંસ્થાઓ પણ સાથે જોડાઇ પરેડ કરશે. આ રેલી દરમિયાન ક્રાંતિકારીઓએ આપેલ નારા, સંદેશ અને તેમના વિચારોની રજુઆત જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કરવામાં આવશે.
આ અવસરે જોડાવા મોરબીની રાષ્ટ્રપ્રેમી જનતાને નીલકંઠ વિદ્યાલય પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!