મોરબીના લીલાપર રોડ વિસ્તારમાંથી એક ૩૧ વર્ષીય યુવાન ગુમ થયો હોવાની વિગતો સામે આવી છે. યુવાનની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે અને તેની સઘન શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના લીલાપર રોડ પર આવેલા ફિલ્ટર હાઉસ પાસે રહેતા રાજેશભાઈ છગનભાઇ સોલંકી ઉવ.૩૧ ગત તારીખ ૦૯/૦૪/૨૦૨૬ ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, રાજેશભાઈને મગજની તકલીફ છે અને તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે.
પરિવારજનો દ્વારા તમામ સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં ભારે શોધખોળ કરવા છતાં હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. જેથી જો કોઈ પણ જાગૃત નાગરિકને રાજેશભાઈ વિશે કોઈ પણ પ્રકારની ભાળ મળે તો મો.નં.૬૩૫૨૫ ૬૧૯૦૧, ૯૬૩૮૧ ૭૦૮૪૨, ૯૯૦૯૧ ૫૮૪૮૩ ઉપર પરિવારજનોનો સંપર્ક ક૨વા માટે અપીલ કરવામાં આવી છે.





