Saturday, May 18, 2024
HomeGujaratપૂર્વ મંત્રી જયંતિ કવાડીયાની નાદુરસ્ત તબિયતને પગલે મંત્રી બ્રિજેશ મેરજા હોસ્પિટલ દોડી...

પૂર્વ મંત્રી જયંતિ કવાડીયાની નાદુરસ્ત તબિયતને પગલે મંત્રી બ્રિજેશ મેરજા હોસ્પિટલ દોડી ગયા: સારા સ્વાસ્થ્ય માટે પાઠવી શુભેચ્છા

રાજયના પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડીયાની નાદુરસ્ત તબિયત અંગે મંત્રી બ્રિજેશ મેરજા મોરબીએ ખબર અંતર પૂછી સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
- Advertisement -

જિલ્લાના હળવદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ તરીકે જવાબદાર વહન કરતાં જયંતિભાઇ કવાડીયા હાલ તેઓની નાદુરસ્ત તબિયતની સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પિટલ – અમદાવાદ ખાતે સારવાર લઇ રહ્યા છે. જે અંગે જાણ થતાં તેમની તબિયતના ખબરઅંતર અને પૂછવા પંચાયત , શ્રમ , કૌશલ્ય વિકાસ અને રોજગાર ( સ્વતંત્ર હવાલો ) , ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જ્યાં મંત્રી બ્રિજેશભાઈએ જયંતિભાઇનું સ્વાસ્થ્ય સત્વરે સ્વચ્છ અને નિરામય થાય તે માટે પ્રાર્થના કરી શુભેચ્છા પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!