Friday, October 18, 2024
HomeGujaratધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબીમાં અધતન સિંચાઈ સદન બનાવવા રજુઆત કરાઈ

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબીમાં અધતન સિંચાઈ સદન બનાવવા રજુઆત કરાઈ

મોરબી જિલ્લામાં ૧૦ જેટલા ડેમ આવેલ છે. નર્મદા યોજનાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવેલી છે. નાની સિંચાઈ તથા સિંચાઈ યોજના ની અનેક કચેરીઓ કાર્યરત છે જે અલગ અલગ જગ્યાઓમાં આવેલી છે. જેથી જિલ્લાના સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો-લાભાર્થીઓને અલગ અલગ જગ્યાએ જવું પડે છે.

- Advertisement -
- Advertisement -

આ સ્થિતિ નિવારવા મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વર્ષ 2016-17 માં રજૂઆત કરેલ જેનો ઉલ્લેખનીય પ્રગતિ થયેલ. દરમ્યાન ખુબ સારા લોકેશનમાં આવેલી વજેપર માધાપર સર્વે નં. 1141 ની જમીન પર ભૂમાફિયાની નજર પડી અને કાવા દાવા પછી પણ જાગૃત નાગરિકો અને અધિકારીઓએ આવો કારસો નિષ્ફળ બનાવ્યો છે.

આ જગ્યાએ નવું અધતન એક જ જગ્યાએ સિંચાઈ વિભાગની તમામ કચેરીનો સમાવેશ થઈ જાય તેવું સિંચાઈ સદન બનાવવા મોરબીના ધારાસભ્યએ મુખ્યમંત્રી, તેમજ સિંચાઈ મંત્રીને રજૂઆત કરી છે અને વર્ષ 2016-17 ની રજૂઆતોના અનુસંધાનમાં મળેલ પત્રોની નકલ પણ આ રજુઆત સાથે રજૂ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!