Sunday, October 27, 2024
HomeGujaratમોરબી:૨૦ દિવસ અગાઉ ક્રેટા કાર પલ્ટી માર્યાના બનાવમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત

મોરબી:૨૦ દિવસ અગાઉ ક્રેટા કાર પલ્ટી માર્યાના બનાવમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત

મોરબીના શકત શનાળા ગામ નજીક રોડ ઉપર કોઈ કારણોસર ક્રેટા કાર પલ્ટી મારી ગઈ હતી, જેમાં ક્રેટા કાર-ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા સાવનભાઈ સુરેશભાઈ સવસાણી ઉવ.૧૯ ગઇ તા.૦૮ ઓક્ટો.૨૦૨૪ ના રોજ રાત્રીના ૩.૦ વાગ્યાની આસપાસ ટંકારાથી મોરબી આવવા ક્રેટા કાર રજી.નં. જીજે-૩૬-એસી-૧૮૧૯ લઇને નીકળ્યો હતો, ત્યારે મોરબીના શકત શનાળા ગામથી આગળ નવી બનતી મેડીકલ કોલેજ સામે રોડ ઉપર પહોંચેલ ત્યારે કોઇ કારણસર કાર પલ્ટી મારી જતા સાવનભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન સાવનભાઈનું મૃત્યુ નિપજતા મૃતકના મોટાભાઈ પાર્થભાઈ પાસેથી પ્રથમીમ વિગતો મેળવી પોલીસે અ.મોતની નોંધ કરી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!